Thursday, 24 April 2014

શુદ્ધીકરણ...

શુધ્ધિ-કરણમાં; બધું સાફ-માફ રુઝાતું,
કર્યું-કરાયેલું, બધું ઊર્ધ્વમાં સમાતું

કશું લેવું-આપવું, બાકી ના રહેતું.
ફરી, બીજું કશું ના ભૂલથી પણ ઊમેરાતું

તન-મન-મગજ-પ્રાણ-હ્રદય; જે પોતાનું હતું માનેલું,
બને નવું નક્કોર જાણે ઊછીનું હતું આવરણ જે ઊતર્યું

અંગો-વિચારો-વર્તનો-ભાવોમાં તંદુરસ્તી છલકે,
પોતાને જ, પોતે- આ કોણ એવું અભનવું લાગે

જ્યાં; માનેલી જાતમાંથી સાચુકલું બહાર આવે,
પછી તો સ્ત્રોત બદલાય એટલે વ્યવહાર, સાથે પાછળનું દ્રષ્ટિબિંદું બદલાતું

ને પછી, એક જ જન્મમાં મોરલી નવો જણ બની,
એ જ જીવન, જુદી રીતે જીવાવા લાગતું


-         મોરલી પંડ્યા

એપ્રિલ ૧૨, ૨૦૧૪

No comments:

Post a Comment