બાપુએ
પણ પ્રભુને
અંતરમાં ધર્યાં હશે! 
એટલે જ, રંગભેદની પછડાટના અન્યાયથી, ઢંઢોળાયાં
હશે! 
  
સત્ય-અહિંસાના માર્ગે હ્રદયથી પ્રેરાયાં
હશે! 
એટલે જ, દેશપ્રેમ-સમાનતા માટે ખાદી-ધોતીમાં
શોભાવ્યાં હશે! 
  
સર્વહિત સદાચાર સમભાવ આચરણમાં મૂક્યાં હશે! 
એટલે જ, જગપ્રસિધ્ધ સ્વરાજ-ઝુંબેશમાં
દેશવાસીઓ જોડાયાં હશે! 
  
ઊપવાસ આરોગીને પ્રતિજ્ઞામાં સ્થિર ચાલ્યાં હશે! 
એટલે જ, સચોટ-નિડર વાણી-વર્તન સામે અંગ્રેજો હાર્યાં હશે! 
  
મક્કમ નિર્ધાર ને અડગ સંયમમાં
પ્રભુ-સંમતિ પામ્યાં હશે! 
પ્રભુએ જ ‘મોરલી’! બાપુને
ચેતનાકિરણોથી નવાજ્યાં હશે! 
 
  
- મોરલી પંડ્યા 
ઓક્ટોબર ૧, ૨૦૧૪ 
  
 | 
No comments:
Post a Comment