ભક્તિરાગ, કદી મોળો, સૂકો, ઓછો ન પડે 
વહી વહી ને બહોળો સમુંદર થઈને વહે… 
  
હઠ-રાજ-કર્મ કે વિ-યોગ, પ્રારંભ કોઈપણ રસ્તે 
આવી મળે બધું જ અંતે આ હ્રદયગાનને પંથે… 
  
પ્રભુપ્રેમ ઊભરાઓ, મન-મસ્તિષ્કને પ્રેરે 
બધું જ ન્યોછાવર, પ્રભુ સંવેદન હરીફરીને દિસે… 
  
શું આજ, કાલ, આ જન્મ કે લખચોરાસી,
જે એ હશે 
એક પ્રવાહ છે વહેતો સમસ્તનો, પરપોટા જ બસ જીવે… 
  
જાણે ઊગીને ઊગીને પાતળી પરતો, મોટાં પેટ ફુલાવી તરે 
એક નાની શી લહેર જેવી સ્પર્શી, જોતજોતાંમા ફૂટે… 
  
બધું જ નશ્વર ને ઈશ્વર, જ્યાં ભક્તિભાવ સદા વહે 
છતાં નગણ્ય નથી જન્મો કે જીવતર, જો પ્રભુચરણે વીતે… 
  
છોડવાનું કશું જ નથી જ્યાં અભિગમ પ્રભુમય સાચ્ચે
ક્ષણે 
પછી સાક્ષી હશે પ્રભુ ને ‘મોરલી’ બધું જ થશે પ્રભુ પક્ષે… 
  
-        
મોરલી પંડ્યા 
ડિસેમ્બર ૯, ૨૦૧૪ 
  | 
No comments:
Post a Comment