વિચારને દબાવવાથી એ ન શમે, 
મસ્તિષ્કમાં કામનુંય કશું ન ઊપજે. 
વિચારને અવગણીને વ્યસ્ત રહે, 
એ જલ્દી મનોદશાનો સ્વામી બને. 
 
 
જરૂર ખરી, જેતે જરૂરીને હામી ભરે, 
બધા જ આવતા, પોતાના ન ગણે. 
એ પ્રદેશની બહાર સ્થિત બિરાજે, 
સર્વેને અમલી માની, ન આવકારે. 
 
 
જરીયે એને પ્રોત્સાહન ન આપે, 
આંતરબાહ્ય સ્વીકૃતી, ન દર્શાવે, 
પણ એને મથામણથી ન રોકે ને 
સાથે મક્કમ વલણે અસ્વરૂપ જુએ. 
 
 
દમનથી મસ્તિષ્ક ફક્ત શૂન્ય ભમે. 
અગત્યનું કે એ પક્વ, ફળદ્રુપ બને, 
સાથે વિકારો પર પણ વિજય મળે 
જબરજસ્તીથી કંઈ ન ખીલે, સાંપડે. 
 
 
અંતઃહ્રદયથી જણ જીવતાં શીખે, 
અવરજવર એટલી ભાવમાં શમે. 
અબઘડીમાં જેટલો જાતને કેળવે 
ચિત્ત ખરું નિરવ શાંત ત્યારે બને. 
 
'મોરલી' નમન પ્રભુ! 
 
- મોરલી પંડ્યા 
ઓગસ્ટ ૧૨, ૨૦૧૫ 
 | 
No comments:
Post a Comment