ઠર્યું છે ચિત્ત હ્રદયમાં, 
શાંત મન ને સ્વસ્થ પ્રાણ ત્યાં. 
  
જડ્યું ચિત્ત, ચૈત્ય ચેતનામાં, 
ચૈતન્ય, સત્ય, પ્રભુઆનંદ જ્યાં. 
  
ધબકતું અંતર અહોભાવ-કરુણામાં, 
આત્મા ઓઢેલો મળે આવો સંસાર ક્યાં? 
  
જપ્યું જણ, ચૈત્ય દોરીસંચારમાં, 
શક્તિમાં ઊભરે સંદર્ભ-સાર નીતનવાં. 
  
અહો! કેવું જીવન ઊકલે રૂપાંતરમાં, 
શક્તિસ્વરૂપો જીવંત ‘મોરલી’ માહ્યલાંમાં. 
  
-        
મોરલી પંડ્યા  
માર્ચ ૨૬, ૨૦૧૫ 
   | 
No comments:
Post a Comment