અંતે તો બધું
જ ચેતના! 
ધર્મ ગણો કે માનો નાત-જાત, 
પંથ પૂજા કે વિચારધારા, 
કોઈ ને કોઈ સ્તરનો જ પ્રકાર… 
 
જાત જાતનાં
જાણે પગથિયાં! 
એય ઊંડાં ને વિસ્તરેલાં! 
દરેક પોતાનાંમાં પાછાં આગવા! 
જુદાં, વિશિષ્ટ ને પેચીદાં! 
 
જે, જે સ્તરમાં, તેને પ્રભાવ તેનાં. 
જેતે વર્તન ને સ્વભાવ એવાં. 
એકવાર આ ચક્કર જાણ્યાં, 
નીકળ્યો જણ એમાંથી હંમેશાં... 
 
પહોંચે પછી
જે ચેતનામાં, 
પરમપ્રભુ વસાહત ત્યાં! 
શાંતિ-આનંદ-પ્રેમ-પ્રકાશ! 
સતત મળે એજ ભાવાર્થ... 
 
બનતો જાય સ્થિતઆત્મા! 
દેહ-મતિ સાધન, સાધના! 
સંજોગ-સાથ-સમન્વય-સહકાર, 
ગોઠવે એ ચેતના જ, લય ને રાહ. 
 
પછી માણસ નહીં, જીવે ચેતના!  
વટાવે ચેતનાનાં, કેટલાંય ડુંગરાં! 
એ વિચાર, ભાવ, આચાર જ ‘મોરલી’ 
બને પ્રેરણા ને ચેતનાનું ભાન. 
 
-        
મોરલી પંડ્યા  
માર્ચ ૨૯, ૨૦૧૫ 
  
 | 
No comments:
Post a Comment